Kedarnath Opening 2026 Update : છ મહિનાની લાંબી પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે. હિમાલયની પવિત્ર પહાડીઓ વચ્ચે બિરાજમાન ભગવાન આશુતોષે પોતાની છ મહિનાની સમાધિ ત્યાગીને ભક્તોને દર્શન આપ્યા છે. આજે સવારે બરાબર 8 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને લશ્કરી બેન્ડની મધુર ધૂન વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
પીએમ મોદીના નામે પ્રથમ પૂજા
કપાટ ખુલતાની સાથે જ સમગ્ર કેદારઘામ ‘હર હર મહાદેવ’ (Har Har Mahadev) અને ‘જય કેદાર’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની (Pushkar Singh Dhami) હાજરીમાં મંદિરની પ્રથમ વિશેષ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નામે કરવામાં આવી હતી. આ પૂજાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને માનવજાતની શાંતિ માટેનો હતો. પ્રથમ દિવસે જ હજારો ભક્તોએ ગર્ભગૃહમાં બિરાજમાન ‘અખંડ જ્યોતિ’ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
#WATCH | Uttarakhand: Devotees throng the temple as the portals of Shri Kedarnath Dham open from today. pic.twitter.com/fhtjsq9eZF
— ANI (@ANI) April 22, 2026
નવી સુવિધાઓ અને ‘આસ્થા પથ’
આ વર્ષે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra 2026) પર આવતા શ્રદ્ધાળુઓ માટે બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
-
આસ્થા પથ: લાઈનમાં ઉભેલા ભક્તોને વરસાદ કે બરફવર્ષાથી બચાવવા માટે છત ધરાવતો ‘આસ્થા પથ’ તૈયાર કરવામાં આવ્યો છે.
-
ડિજિટલ લોકર્સ: ભક્તો માટે પ્રથમવાર શૂ-કાઉન્ટર અને મોબાઈલ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
-
હેલી સેવા: વૃદ્ધ અને અશક્ત ભક્તો માટે 8 જેટલી ખાનગી હેલિકોપ્ટર કંપનીઓએ (Heli Services) ઉડાન શરૂ કરી દીધી છે.
બરફની ચાદર અને કુદરતી સૌંદર્ય
યાત્રીઓને લિંચોલીથી ધામ સુધીના માર્ગ પર કુદરતના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા છે. માર્ગમાં ઘણી જગ્યાએ 4 ફૂટ સુધીના બરફના (Snowfall) થર જામેલા છે, જે યાત્રાને રોમાંચક બનાવે છે. પ્રશાસન દ્વારા માર્ગો પરથી બરફ હટાવીને મુસાફરો માટે રસ્તો સાફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગે શ્રદ્ધાળુઓ માટે હાઈ-ટેક હોસ્પિટલની સુવિધા પણ કાર્યરત કરી છે.
શિસ્ત અને મર્યાદાની અપીલ
જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ ધામની આધ્યાત્મિક મર્યાદા જાળવી રાખે. મંદિરમાં અનાવશ્યક વીડિયો કે રીલ્સ (Reels) બનાવીને વ્યવધાન પેદા કરનારા લોકો પર પોલીસ કડક નજર રાખી રહી છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મોબાઈલથી દૂર રહીને બાબાના સાનિધ્યમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે.
આ પણ વાંચો : Ambani પાછળ રહી ગયા! Gautam Adani બન્યા એશિયાના સૌથી મોટા અબજોપતિ, જાણો કેવી રીતે પલટાયું નસીબ?

