Gujarat News : શું ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયું છે? જાણો મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીની મહત્વની સ્પષ્ટતા

CM Bhupendra Patel's official statement on Gujarat fuel supply and petrol diesel availability.
Share The Story

Gujarat Fuel Supply : ગુજરાતના ખૂણે-ખૂણેથી છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો અને અફરાતફરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ઈંધણની તંગીની અફવાઓએ સામાન્ય જનતામાં ફફડાટ ફેલાવ્યો છે. જોકે, હવે આ મામલે ખુદ રાજ્યના મુખિયા અને ઉર્જા મંત્રીએ મેદાનમાં આવીને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. Gujarat Fuel Supply અંગે સરકારે બાંયધરી આપી છે કે રાજ્યમાં ઇંધણનો કોઈ જ તોટો નથી.

મુખ્યમંત્રીની જનતાને હૃદયસ્પર્શી અપીલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યના નાગરિકોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવાની જરૂર છે. ગેસ કે પેટ્રોલની લાઈનમાં ઉભા રહેવાની કોઈ આવશ્યકતા નથી.” તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર પુરવઠા સાંકળ પર સતત ધ્યાન આપી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિ (Global Situation) ને કારણે સર્જાયેલા આ મનોવૈજ્ઞાનિક ભય સામે લડવા માટે તેમણે જનતાને એકજૂથ થઈને સરકારને સહકાર આપવા વિનંતી કરી છે.

ઉર્જા મંત્રીની સ્પષ્ટતા: “પુરવઠો પૂર્વવત છે” 

બીજી તરફ, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ આ મામલે પાયાની વિગતો આપતા કહ્યું કે, “રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત (Fuel Shortage) નથી, માત્ર અફવાઓને કારણે પેનિક બાયિંગ (Panic Buying) થઈ રહ્યું છે.” તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે જ ઈંધણ ભરાવવું જોઈએ. જો લોકો જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવાનો પ્રયાસ કરશે તો બિનજરૂરી અફરાતફરી સર્જાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોને ઈંધણના પુરવઠા બાબતે કોઈ મુશ્કેલી નહીં પડે તેની સરકાર ખાતરી આપે છે.

શા માટે સર્જાઈ આ સ્થિતિ? (Analysis)

મધ્ય એશિયામાં ચાલી રહેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના સપ્લાયમાં વિક્ષેપની વાતોને કારણે લોકોમાં ડર પેઠો હતો કે આગામી દિવસોમાં પંપો ખાલી થઈ જશે. પરંતુ ગુજરાત સરકારના આજના નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં સ્ટોક પર્યાપ્ત છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સંચાલકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ વ્યવસ્થા જાળવી રાખે અને લોકોને સાચી માહિતી આપે.

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર: આજથી ગુજરાતમાં ચણા અને રાયડાની સરકારી ખરીદીનો ધમધમાટ શરૂ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *