Weather News : ગુજરાતમાં ફરી માવઠાની એન્ટ્રી! અંબાલાલ પટેલની આગાહી: આ તારીખ સુધી મેઘરાજા બોલાવશે ધબધબાટી!

Ambalal Patel Rain Forcast Image
Share The Story

Ambalal Patel Rain Forcast : ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાએ સામાન્ય જનતાને ગરમીથી રાહત આપી છે, પરંતુ જગતના તાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) અને હવામાન વિભાગ (IMD Gujarat) દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) ને લઈ મોટી આગાહી કરવામાં આવી છે.

કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? 

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૮ માર્ચથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે.

Gujarat Weather Update From Imd

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૪ એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે. ૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન વરસાદની શક્યતા સૌથી વધુ પ્રબળ છે. આ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ (Western Disturbance) ના કારણે કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર: આજથી ગુજરાતમાં ચણા અને રાયડાની સરકારી ખરીદીનો ધમધમાટ શરૂ!

ખેડૂતોની ચિંતામાં વધારો: બાગાયતી પાક જોખમમાં

આ કમોસમી વરસાદ અથવા માવઠું (Mavthu) ખેડૂતો માટે મુસીબત બનીને આવ્યું છે. અત્યારે રાજ્યમાં રવી પાકની કાપણી ચાલી રહી છે, ત્યારે આ પલટો પાકને નુકસાન પહોંચાડી શકે છે. સૌથી વધુ ચિંતા બાગાયતી ખેતી (Horticulture Farming) કરતા ખેડૂતોને છે.

Gujarat farmer concerned about mango crop due to rain.

  • કેરીનો પાક: હાલમાં આંબા પર કેરી તૈયાર થઈ રહી છે, ત્યારે વરસાદ અને ભારે પવનથી કેરી ખરી પડવાની અને બગડવાની પૂરેપૂરી શક્યતા છે.

  • ખુલ્લામાં રાખેલો પાક: એપીએમસી (APMC) અને ખેતરોમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

સમયગાળો સંભવિત અસર (Effect) અસરગ્રસ્ત વિસ્તારો (Affected Areas)
28 -30 માર્ચ ભારે પવન અને ગાજવીજ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
31 માર્ચ – 2 એપ્રિલ હળવો થી મધ્યમ વરસાદ મધ્ય અને દક્ષિણ ગુજરાત
3- 4 એપ્રિલ વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત
મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ

નિષ્ણાંતોનો મત અને તકેદારી (Expert Advice)

હવામાન નિષ્ણાંતોના મતે, આ એક બાદ એક સક્રિય થતી હવામાનની સિસ્ટમોને કારણે ઉનાળાના પ્રારંભે ઠંડક પ્રસરી છે. તાપમાનનો પારો નીચે જવાથી લોકોને કાળઝાળ ગરમીથી (Heatwave) હંગામી રાહત મળી છે. જોકે, પશુપાલકો અને ખેડૂતોએ પોતાના માલસામાનને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. જો સિસ્ટમ નબળી પડશે તો માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડશે, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : Gujarat News : ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં UCC ની એન્ટ્રી; જાણો કોને મળી છે આ કાયદામાં છૂટછાટ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *